CATEGORIES

February 2025
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
2425262728  
Sunday, February 23   10:45:00

12 ફૂટ ઊંચી કઠપૂતળી જ્યારે એક દુર્દશાને દર્શાવવા પ્રવાસ પર નીકળી અને…

20-06-22

હાલ લુપ્ત થતી કઠપૂતળીની કલા ખૂબ પ્રાચીન છે. કઠપૂતળીનો ઉલ્લેખ સંસ્કૃત ભાષાના વ્યાકરણ આચાર્ય પાણિની દ્વારા રચિત અષ્ટાધ્યાયમાં પણ આવે છે.

લોક કથાઓમાં બત્રીસ પૂતળીની વાર્તામાં પણ કઠપૂતળીની વાત આવે છે.

વિશ્વમાં પ્રાચીન ગ્રીસ થીયેટરમાં 5 મી સદીની આસપાસ કઠપૂતળીના શૉ થતાં હતાં.

28 ઉપરાંતના પ્રકારની કઠપૂતળીનું અસ્તિત્વ છે. બાળકોને વાર્તા કહેવા માટે T.V. ના માધ્યમથી પણ હોલિવુડથી લઇ ને ભારતીય સિરિયલોમાં પણ કઠપૂતળી દ્વારા લોકોનું મનોરંજન થયું છે. દરેક દેશોમાં એક યા બીજા પ્રકારે તેનું અસ્તિત્વ છે.

ભારતમાં રાજસ્થાનમાં આજે પણ લાકડાની કઠપૂતળી બનાવીને વાર્તા કહેવાની કળા સચવાઈ છે.

પણ આજે વાત કરવી છે એક એવી કઠપૂતળીની જે ૧૨ ફૂટની બનાવવામાં આવી છે કે જેથી દસ દસ વર્ષથી ભટકતું જીવન વિતાવતા શરણાર્થીઓના અને તેના બાળકોની પીડા માટે વિશ્વની મહાસત્તાઓ જાગે…

વાત કઠપૂતળીની જે ૧૨ ફૂટની બનાવવામાં આવી છે..

2011 માં સિરિયામાં થયેલા યુધ્ધ બાદ 2018માં એક સમાચાર પ્રમાણે વિશ્વમાં સૌથી વધુ લોકોનું સ્થળાંતર થયું જેમાં અંદાજે 6.7 મિલિયન લોકો શરણાર્થીઓ બન્યા હતા. અનેક લોકો ત્યાંથી અન્ય દેશોમાં ચાલ્યા ગયા. એ લોકોનું જીવન હજુ સ્થિર નથી થયું અને ખૂબ દુઃખદ સ્થિતિ સાથે ભટકતું જીવન જીવે છે ત્યારે એના બાળકોની શી દશા હશે?! આ પ્રશ્ન અને પીડાના પ્રતિક રૂપે કઠપૂતળીનું નિર્માણ કરી અને જુદાં જુદાં દેશોમાં ફેરવવામાં આવે છે. અને એ રીતે એક ક્રાંતિનો સંદેશ કઠપૂતળી દ્વારા રજૂ કરવામાં આવે છે.

10 વર્ષના સીરિયન શરણાર્થીને દર્શાવતી 12 ફૂટ ઊંચી કઠપૂતળીનું નામ લિટલ અમલ રાખવામાં આવ્યું છે જેણે લગભગ એક ડઝન દેશો જોયા છે, લંડનના રોયલ ઓપેરા હાઉસ અને અન્ય જોવાલાયક સ્થળોની મુલાકાત લીધી છે.

પરંતુ હવે અમલ સંપૂર્ણપણે નવા સાહસની શરૂઆત કરશે, શરણાર્થીઓ અને ઇમિગ્રન્ટ્સને ખુલ્લા આલિંગનને પ્રોત્સાહન આપવાના હેતુથી ન્યૂયોર્કની સફરમાં પ્રથમ વખત એટલાન્ટિક પાર કરશે.

વોક પ્રોડક્શન્સ તરફથી ગુરુવારે જાહેર કરાયેલી જાહેરાત અનુસાર, અમલ 14 સપ્ટેમ્બરે જ્હોન એફ. કેનેડી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરશે, જેમાં રસ્તામાં બાળકો, કલાકારો, રાજકારણીઓ અને સમુદાયના નેતાઓ સાથે મુલાકાત કરશે.

ગયા વર્ષે તુર્કીથી ઇંગ્લેન્ડ સુધી આ કઠપૂતળી સૌહાર્દ, સંવેદના અને શરણાર્થીઓના બાળકોની પીડાનો સંદેશ પ્રસરાવવા 5,000 માઇલની સફર કરી. જેમાં સ્થળાંતર શિબિરોની મુલાકાતોનો સમાવેશ થાય છે.

યુરોપમાં લાખો સીરિયન શરણાર્થીઓની દુર્દશાને દર્શાવવા માટે આ કઠપૂતળી બનાવવામાં આવી છે.

આ કઠપૂતળીની રચના…

ટાવરિંગ કઠપૂતળી – જેનું સંચાલન ત્રણ લોકો દ્વારા કરવામાં આવે છે. 2018 માં, સેન્ટ એનએ એક નાટક “ધ જંગલ” રજૂ કર્યું, જેણે અમલના પાત્રને પ્રેરણા આપી. “ધ જંગલ” તેના લેખકો, જો મર્ફી અને જો રોબર્ટસન , જ્યારે ફ્રાન્સના કેલાઈસમાં સ્થળાંતરિત શિબિરમાં એક ઇન્ટરેક્ટિવ આર્ટ સેન્ટર સ્થાપ્યું ત્યારે તેના પર આધારિત જૂની કલા કઠપૂતળીથી પ્રભાવિત થઈ અને તેમણે અમલ નામની આ 12 ફૂટ ઊંચી કઠપૂતળીનું નિર્માણ કર્યું.

કેવી રહી અસર…

નાટકના દિગ્દર્શક સુસાન ફેલ્ડમેને જણાવ્યું હતું કે ગયા વર્ષે પેરિસના ઉપનગરમાં પ્રાથમિક શાળાની સફર દરમિયાન લોકો પર અમલની સૌ પ્રથમ અસર થતી જોઈ હતી, જ્યાં વિદ્યાર્થીઓની નજર પડતાંની સાથે જ વિદ્યાર્થીઓ હર્ષનાદ કરવા લાગ્યા હતા અને અમલની પાછળ આવવા લાગ્યા હતા. અમલ ( કઠપૂતળી ) દ્વારા અમે એવો સંદેશ આપીએ છીએ કે સ્થળાંતરિત બાળકો જોખમી જીવન અને પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા છે.

લુપ્ત થઈ રહેલી એક કળાએ વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે અને એ માધ્યમથી વિશ્વના શરણાર્થીઓ તરફ પણ લોકોનું ધ્યાન દોરાયું છે.