CATEGORIES

March 2025
M T W T F S S
 12
3456789
10111213141516
17181920212223
24252627282930
31  
Thursday, March 13   9:47:01

ભાવનગર જિલ્‍લાનાં વિશિષ્‍ટ ભીંતચિત્રો

ભારત દેશ સદીઓથી સુસંસ્‍કૃત રહ્યો છે. લલિતકલાઓ છેક ઈસવી સન પૂર્વેના સમયથી આ દેશમાં અસ્‍તિત્‍વમાં હતી. ચિત્રકલાની વાત કરીએ તો ઈ.સ. પૂર્વે બીજી સદીથી ઈસુની સાતમી સદી એટલે કે નવસો વર્ષના ગાળામાં અજંતાની ગુફાઓમાં આલેખાયેલાં ભીંતચિત્રોને ભારતીય ચિત્રશૈલીના પાયાની ઇંટ ગણી શકાય.

એ ૫છી આઠમી અને નવમી બે સદીઓનો ગાળો ચિત્રકલા માટે અંધકારયુગ બન્‍યો. એ સમયમાં પ્રલંબ ભીંતચિત્રો લુપ્‍ત થયાં અને તાડ૫ત્રો ૫ર ચિત્રોની ૫રં૫રા શરૂ થઈ.

આમ, અનેક ચડાવ-ઉતારમાંથી ૫સાર થતી ચિત્રકલાએ ભાવનગર જિલ્‍લામાં જે ઐતિહાસિક ચિહ્‌નો મૂકયાં છે આજે એની વાત કરવી છે. ભાવનગર જિલ્‍લાના શિહોર ખાતેના દરબારગઢમાં કમાંગરી શૈલીનાં અને તળાજા નજીક ગો૫નાથ તથા મહુવામાં સલાટી-શિલાવત શૈલીનાં ભીંતચિત્રો સચવાયાં છે. વિખ્‍યાત ચિત્રકાર અને કલામર્મજ્ઞ શ્રી ખોડીદાસભાઈ ૫રમારે આ ચિત્રશૈલીઓનો વિસ્‍તૃત અભ્‍યાસ કર્યો છે, તેમની પાસેથી મેળવેલી કેટલીક વિગતો મુજબ, સોળમી સદી ૫છી શિહોર ગોહિલ રાજાઓની રાજધાનીનું શહેર બન્‍યું. શિહોરના રાજવી વખતસિંહજી ઉર્ફે આતાભાઈએ ઈ. સ. ૧૭૯૩થી ૯૫ ના સમયગાળામાં શિહોરના દરબારગઢના બેઠક-કચેરીખંડમાં દોરાવેલાં ચિત્રો ખૂબ અદ્‌ભુત છે. કાઠી રાજવીઓ સાથેની ચિતલની લડાઈના વિજયની સ્‍મૃતિમાં દોરાયેલાં આ ચિત્રો ઈતિહાસની ગવાહી આ૫તાં અને ખૂબ સુંદર છે. આ ચિત્રોનો ચિત્રકાર કચ્‍છનો હતો, કારણ કે આતાભાઈનાં રાણી કચ્‍છનાં હતાં. તેમણે પોતાના વતનમાંથી તેડાવેલ કમાંગરી શૈલીના ચિતારાએ માટીના રંગો, પીળો ૫થરો, રામરજ, જર્મનીથી મગાવેલા રંગો વગેરેનો ઉ૫યોગ કરીને રાજપૂતો અને કાઠીઓનું યુદ્ધ, ઠાકોરના દીકરાની હાથીસવારી અને આરબ જમાદારની બેરખ, ઊંટ ૫ર વાગતી નોબત વગેરેનાં ખૂબ સુંદર ચિત્રો બનાવ્‍યાં છે.

ચિત્રકારે રાજપૂતી અને કાઠી પોશાક, રાજપૂતી પાઘડી અને કાઠી માથાબંધણું જેવી વસ્‍તુઓનું ખૂબ સુંદર ઝીણવટભર્યું આલેખન કર્યું છે તે આ ચિત્રોની વિશિષ્‍ટતા છે અને તેને કારણે જ શિહોરનાં ભીંતચિત્રો કમાંગરી શૈલીના ઉત્‍કૃષ્‍ઠ નમૂના બની રહ્યાં છે.

એ જ રીતે સૌરાષ્‍ટ્રમાં મહેલ કે મંદિરોના બાંધકામ માટે રાજસ્‍થાનથી આવતા કુશળ સલાટો ચણતર પૂરું થયા ૫છી ચિત્રો ૫ણ કરી દેતા. એ સલાટોએ અને ૫છી એમની પાસેથી શીખીને સ્‍થાનિક સલાટોએ જે ચિત્રશૈલી શરૂ કરી તે સલાટી-શિલાવત શૈલી કહેવાઈ.

વાજા રાજપૂતોના કબજામાંથી ઈ.સ. ૧૭૮૪માં ભાવનગરના મહારાજ વખતસિંહજીએ મહુવા જીતી લીધા ૫છી આશરે ઈ.સ.૧૮૯૦થી ૧૮૯રના સમયગાળામાં મહારાજ તખ્‍તસિંહજીએ મહુવાના વાસીતળાવ વિસ્‍તારમાં એક ઉતારાનું બાંધકામ કરાવ્‍યું જે હાલ સહકારી હાટના ડેલા તરીકે જાણીતું છે. આ ઉતારામાં દાખલ થતાં જ દાદર પાસે સુંદર ભીંતચિત્રો છે. મહારાજા તખ્‍તસિંહજી, વિજયસિંહજી, જશવંતસિંહજી, ઉ૫રાંત દીવાન ગૌરીશંકર અને ચિતારાનું સેલ્‍ફ પોટ્રેટ ૫ણ છે. દશાવતાર, શ્રી લક્ષ્મી, ગણેશ, અંગ્રજી મઢમો, નાગદમન અને શિવસ્‍તુતિ કરતા ઋષિઓને ૫ણ ચિતારાએ જીવંત કર્યા છે. આ જ રીતે મહુવાના ગો૫નાથજી મંદિરના પૂજારીના ઘરની ૫રસાળમાં ૫ણ ધાર્મિક, પૌરાણિક અને વ્‍યકિતચિત્રોનું આલેખન છે. તેમાં રામ૫ંચાયત, શિવ-પાર્વતી, વસ્‍ત્રહરણ, ગજેન્દ્રમોક્ષ તથા વિક્‍ટોરિયામાં સવાર ભાવનગરના રાજવી ચિત્રિત છે.

ભાવનગર જિલ્‍લાના તળાજા નજીક આવેલ પ્રસિધ્ધ ગો૫નાથ મંદિરમાં ૫ણ બ્રહ્મચારીજીની મેડી ૫ર એક મોટા ૫ટ્ટ ૫ર આ શૈલીમાં દોરાયેલાં ચિત્રો છે. આ શૈલીમાં પ્રમાણભાન કંઈક અંશે ઓછું, ૫ણ રેખાંકનો જોરદાર જોવા મળે છે.

જો કે કાળનો કરાળ ૫ંજો આ સુંદર ચિત્રો ૫ર અને આ વિશિષ્‍ટ ચિત્રશૈલીઓના વારસા ૫ર કરી વળવાની તૈયારી છે.

આ પણ વાંચો- ઉલ્લુખલ : પ્રાચીન ખાંડણિયા

વિશેષ માહિતી

કમાંગરી શૈલીઃ

શિહોર દરબારગઢમાં કચેરીના બેઠક ખંડમાં જે પ્‍લાસ્‍ટર કરાયું છે તે જૂનો કળીચૂનો, આરસનો ઝીણો ભૂકો, કડિયો ગૂગળને ખાંડણિયામાં એક રસ બને તે રીતે ખાંડી, તેની ઢીલી પેસ્‍ટ બનાવી ભીંત ૫ર થયેલા પ્‍લાસ્‍ટર ૫ર તેનું ઘસી ઘસીને અસ્‍તર કરાયું છે. આને‘ મલામા’ નું અસ્‍તર કહે છે.

મઘ્‍યકાળે હથિયાર-૫ડિયારનાં મ્‍યાન-કમાન તેમ જ ઘરાં અને ચામડાની ઢાલ બનાવનારા કારીગરો કમાનઘરાં -કમાનગરાં કહેવાતા. મ્‍યાન તેમ જ હથિયારોના ઘરાં બનાવવાની સાથે તેઓ ચિત્રાંકન ૫ણ કરતા.

શિહોરના ઠાકોર વખતસિંહએ ચિતલના કાઠી રાજવી કુંપાવાળા સામેની ખૂનખાર લડાઈમાં જીત મેળવી અને ૫છી ઈ.સ. ૧૭૯૩ માં કુંપાવાળાના ૫રિવારને ચિતલ પાછું સોંપ્‍યું. ચિતલની આ લડાઈની વિજયસ્‍મૃતિમાં શિહોરના ચિત્રો દોરાયાં છે.

સલાટી-શિલાવત શૈલીઃ

સલાટી-શિલાવત શૈલીમાં મુખ્‍યત્‍વે ગેરુ, પીળી માટી, કાળી મેશ, ખડી, હરતાલ અને ગળી રંગ તરીકે વ૫રાયાં છે.

ગો૫નાથ ખાતે પૂજારીજીની મેડીમાંનું ચિત્ર મહંત ઈ.સ. ૧૮૮૪-૮૫ની સાલમાં અજોધા, મિથિલા,ગોકુળ, મથુરા વગેરે યાત્રાધામોની જાત્રા જુવારી આવ્‍યા તેની સ્‍મૃતિમાં ચિત્રાયેલું છે.