12 Jan. Vadodara: કૃષિ કાયદા મુદ્દે સુપ્રીમ કોર્ટે આજ ચુકાદો આપતા હાલ ચાર સદસ્યો ની કમિટીના રિપોર્ટ પછી નિર્ણય લેવાશે.
છેલ્લા ૪૭ દિવસ થી કેન્દ્ર સરકાર દ્વારા પારિત ત્રણ કૃષિ કાનૂન ના વિરોધ મા ખેડૂતો દિલ્લી સહિત રાજ્યો ની સીમાઓ પર ધરના દઈને બેઠા છે.દિલ્લી ની ઠંડી માં પણ તેઓ ટ્સ થી મસ નથી થયા.આ કાનૂન ના અમલ મુદ્દે આજ દેશ ની સર્વોચ્ચ અદાલતે અભૂતપૂર્વ ફેંસલો આપ્યો છે, અને આ ત્રણ કાનુનો ના અમલ પર રોક લગાવી દીધી છે.
આગામી આદેશ સુધી આ રોક ચાલુ રહેવાની વાત કહી છે. આ સંબંધે સુપ્રીમ કોર્ટે ચાર સદસ્યો ની કમિટી બનાવી છે.આ કમિટી માં અશોક ગુલાટી , બીકેયુ ના ભુપેન્દ્રસિંહ માન ,આઈએફપીઆરઆઈ ના પ્રમોદ જોશી, શેતકારી સંગઠનના અનિલ ઘનવંત સામેલ છે.આ સમિતિ રિપોર્ટ આપશે પછી સુપ્રીમ કોર્ટ આદેશ આપશે.આ મામલા નોકોઈ રસ્તો કાઢવો હોય તો બન્ને પાર્ટી એ સમિતિ પાસે જવું પડશે.
આ ફેંસલા પછી ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યું છે કે ફેંસલો આવ્યા પહેલા ઘરે પાછા નહિ જઈએ.બીજી બાજુ 26 જાન્યુઆરી એ દિલ્હી કૂચની તૈયારીઓ ચાલુ રહેશે.
More Stories
‘ટહુકો’ નીઆમ્રકુંજમાં પ્રિય મોરારીબાપુનો ટહુકો!
ભારતીય દસ્તાવેજી ફિલ્મો : વૈશ્વિક સન્માન બરાબર, પરંતુ ઘર આંગણે દર્શકો ક્યાં છે?
ઉપર સિલ્ક અને નીચે કોટન – નામશેષ થતો કાપડનો એક વિશિષ્ટ પ્રકાર : મશરૂ કાપડ